ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

આંધળા નગીનદાસ સંઘવી અને ‘સરગટ’ પત્રકારત્વ

નગીનદાસ સંઘવી લખે છે, “આપ માટે દિલ્હી બહુ દૂર છે” (કળશ પૂર્તિ, દિવ્ય ભાસ્કર). આ લેખમાં સંઘવી કહે છે કે હવે દેશમાં જાતિ, કોમ પર વોટ લેતા લોકો અપ્રસ્તુત બની ગયા છે, જેમ કે માયાવતી. આગળ કહે છે કે હિન્દુત્વવાદી પક્ષો પણ નહીં ચાલે. અહીં તેઓ ભાજપનું નામ લેતા નથી. નગીનદાસ દિવ્ય ભાસ્કરના જે કળશ પર બેઠા છે એના પાના પર એક નજર નાંખે. બધા કોલમ લેખકો બ્રાહ્મણ છે. તેઓ આખી દુનિયાની પંચાત કરે છે અને એવા ઘમંડમાં રાચે છે કે ભારતની પ્રજાનો મત અમે ઘડીએ છીએ. શું આ જાતિવાદ નથીનગીનદાસ સંઘવી માયાવતીને જાતિવાદી કહેતા પહેલાં એમના ગાંધીવાદી ઝભ્ભા પર ચોંટેલુ જાતિવાદનું ગૂ સાફ કરે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો